શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગૃત વાલી સંમેલન

હિન્દ ન્યુઝ, ભાવનગર

 

શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગૃત વાલી સંમેલન તા.23 એપ્રિલ નાં રોજ યોજવામાં આવેલ. જેમાં ભાવનગરનાં જાણીતા શિક્ષક વર્ષાબહેન જાની દ્વારા વાલીઓને ‘બાળ ઘડતર, પોષક આહાર તથા વ્યસન મુક્તિ’ પર માહિતગાર કરવામાં આવેલ તથા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. આ પ્રસંગે 100 થી વધું વાલીઓ તથા બાળકોની પ્રેરક ઉપસ્થિતિમાં બાલમંદિરનાં બાળકોને સાવચેતી થી ઘરે થી બાલમંદિર લઇને આવતાં પ્રકાશભાઈ, યુનુસભાઈ તથા મનીષભાઈનું સોલાપુરી ચાદર ભેટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન અંકિતાબહેન ભટ્ટ તથા પ્રીતિબહેન ભટ્ટએ કર્યું હતું.

Related posts

Leave a Comment